
કચ્છ :ભારત ને દુનિયામાં આગવી ઓળખ આપનાર ઉર્જા ના અપાર સ્ત્રોત યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ૭૩ વર્ષ સફળતા અને સંઘર્ષ સાથે સૌહાદય પુર્ણ પુરા કરી ૧૭/૦૯/૨૦૨૪ ના ૭૪ વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દીર્ઘાયુ અને સ્વસ્થતા માટે શુભેચ્છા પાઠવતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ના પ્રેરણા થી આયુષ હોસ્પિટલ – ભુજ દ્વારા આયુષ સંજીવની રથનો સવારે ૯ વાગ્યે પ્રારંભ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૪૦૦ ગામોમાં વર્ષ દરમ્યાન ભાજપા, જીલ્લા પંચાયત કચ્છ, વિવિધ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દોઢ લાખ થી વધુ
લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાનો આયુષ હોસ્પિટલ દ્વારા અને સાંસદશ્રી નો પ્રેરણા અને સહકાર દ્વારા શરૂ થશે આ માટે અંતરિયાળ છેવાડા ના ગામો થી નજીકના ગામો – શહેરો માં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ ની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે.
સાંજે ૫ વાગ્યે રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવશે મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવશે.

