મોરબી : મોરબીમાં ગતરાત્રે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ વિવિધ રાસ ગરબીમાં હાજરી આપી હતી. તે દરમિયાન મોરબીના ધારાસભ્ય ક્રાંતિભાઈ કાંતિલાલ અમૃતિયા તથા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાનું એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ તથા સંપૂર્ણ ટીમ દ્વારા ખેસ પહેરાવી તથા તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ સાથે સાંસદ તથા ધારાસભ્યએ સંગઠનના વિષયમાં ચર્ચા પણ કરી હતી સંગઠન જ્યારે રાષ્ટ્રવાદી વિચારોથી કાર્ય કરતું હોય ત્યારે પણ ધાર્મિક વિષયોમાં સંગઠનની જરૂર હશે ત્યારે દરેક પ્રકારે સાથ આપવાની પણ વાત કરવામાં આવી હતી હાલ અત્યારે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત સંગઠન હિંદુને એક તાતણે બાંધી રહ્યું છે ત્યારે જો કોઈ પણ હિન્દુ સાથે કોઈપણ પ્રકારના અત્યાચાર થાય ત્યારે રાજનીતિક પીઠબળ પણ મળ્યું રહે તે હેતુથી વિશે ચર્ચા પણ થઈ હતી.












