મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં વધુ એક રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યુ છે. આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં વધુ એક રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંપરા અને અનુશાસનને વરેલા આ નવરાત્રી મહોત્સવમાં આ વખતે દહિસરાની રાસ-મંડળીએ અર્વાચીન રાસનુ પ્રદશન કર્યું હતુ.જૂની વિસરતી જતી સંસ્કૃતિને ફરી એક વખત યાદ કરી રાસ દ્વારા યાદી અપાવવામાં આવી હતી.

















