મોરબી : હાલ પંજાબ રાજ્યમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પરિસ્થિતિને લઈને પંજાબમાં મોટાપાયે નુકસાન થયું છે. જેથી આ પરિસ્થિતિમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરીને પંજાબની આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. પ્રભાવિત થનાર લોકોને યોગ્ય વળતર, ભોજન, દવા, આશ્રય આપવામાં આવે અને ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે તેઓને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.












