Tuesday, June 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆયુષ હોસ્પિટલના નામંકિત ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ વેન્ટિલેટર પર જીવન- મૃત્યુ વચ્ચે ઝઝૂમી...

આયુષ હોસ્પિટલના નામંકિત ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ વેન્ટિલેટર પર જીવન- મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીને આપ્યું નવજીવન

મોરબી ડેઈલી:09 જુન, 2026 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમા ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન હાલતમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 20% છે, દર્દી નું બીપી માપી ન શકાય એટલું ઓછુ છે, દર્દી ને હ્રદયનો હુમલો આવેલો છે, દર્દીને એસ્પિરેશન ન્યુમોનીયા નામની જીવલેણ અને ગંભીર બીમારી પણ સાથે લાગુ પડેલી છે. આથી દર્દીની ખૂબજ ગંભીર સ્થિતિને ધ્યાન પર લેતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઇ ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા અને દર્દીના સચોટ નિદાન અને સારવાર ના પગલે દર્દીની આટલી ગંભીર બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતા માત્ર 4 દિવસમા દર્દીની હોસ્પિટલ માથી રજા કરવામા આવી.

દર્દીના સગાઓ દ્વારા, “સાહેબ અમને અમારા બા ની કન્ડિશન જોતા બચવાની કોઇ પણ શકયતા નહોતી લાગતી, આપનો અને આયુષ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર ” જેવા લાગણીભર્યા શબ્દો સાથે ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખૂબ આભાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments