Thursday, July 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પરશુરામ વસ્તીમાં 'ડો. ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્ર'નો શુભારંભ

મોરબીની પરશુરામ વસ્તીમાં ‘ડો. ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્ર’નો શુભારંભ

સેવા ભારતી સંલગ્ન સમિતિ દ્વારા વસ્તીના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવા માટે નવો પ્રકલ્પ શરૂ કરાયો

મોરબી: સેવા ભારતી ગુજરાત સંલગ્ન, ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ (મોરબી શાખા) દ્વારા આજરોજ તારીખ 02/07/2026ને ગુરુવારે લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી ખાતે ‘ડો. ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્ર’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વસ્તીના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો છે.

આ શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઇ પટેલ, નગર સહ સેવા પ્રમુખ લલિતભાઈ પાંડે અને અગ્રણી હરિભાઈ સરડવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રના સંચાલનની જવાબદારી મંજુલાબેન ચૌહાણ સંભાળશે. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવા પ્રેરણા આપી હતી. વસ્તીના પરિવારો અને બાળકોમાં આ પ્રકલ્પને લઈને ભારે આનંદની લાગણી જોવા મળી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments