Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વાલીઓ...

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વાલીઓ માટે જાગૃતિ વ્યાખ્યાન યોજાયું

ડૉક્ટર્સ વીકની ઉજવણીના ભાગરૂપે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ માટે “Unlocking Child Potential through Developmental Understanding” વિષય પર વિશેષ જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી, મોરબીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિરલ જાદવાણી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા બાળ વિકાસ, વિકાસના વિવિધ તબક્કાઓ, બાળકોની શારીરિક, માનસિક અને સામાજિક વૃદ્ધિ તેમજ અસરકારક પેરેન્ટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

વ્યાખ્યાન દરમિયાન વાલીઓને બાળકોની ક્ષમતાને ઓળખવા, તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપવા, આત્મવિશ્વાસ વધારવા તેમજ રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી અસરકારક પેરેન્ટિંગ ટીપ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા. નિષ્ણાતોએ બાળકના સર્વાંગી વિકાસમાં માતા-પિતાની સકારાત્મક ભૂમિકા અને યોગ્ય સમજણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો.

કાર્યક્રમ દરમિયાન વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. ઉપસ્થિત વાલીઓએ વ્યાખ્યાનને માહિતીસભર, વ્યવહારુ અને પ્રેરણાદાયી ગણાવી તેની પ્રશંસા કરી.

ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ડૉક્ટર્સ વીકની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને બાળ વિકાસ અને અસરકારક પેરેન્ટિંગ અંગે વૈજ્ઞાનિક સમજ પૂરી પાડવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments