Wednesday, July 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રામ ચોક પાસે કચરાનું સામ્રાજ્ય: વરસાદ બાદ દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

મોરબીના રામ ચોક પાસે કચરાનું સામ્રાજ્ય: વરસાદ બાદ દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

મોરબીના શનાળા રોડ પર રામ ચોક પાસે આવેલી એ વન પાન વાળી શેરીમાં બેંક ઓફ મહારાષ્ટ્રની સામે કચરાના મોટા ઢગલા ખડકાઈ ગયા છે. આ કચરાના ઢગલાના કારણે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે અને હાલ વરસાદી વાતાવરણના કારણે સ્થિતિ વધુ વણસી છે.

સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર, અહીં નિયમિત સફાઈ ન થતી હોવાને કારણે કચરો જમા થતો રહે છે. વરસાદ પડ્યા બાદ ભીના કચરામાંથી અતિશય દુર્ગંધ આવી રહી છે, જેના કારણે લોકોને ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ કચરાના ઢગલાથી રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં યોગ્ય સફાઈ કરવામાં આવે અને કચરાના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્તિ મળે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments