મોરબી : વલસાડના એસ. પી. તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પ્રશંસનીય કામગીરી બદલ પ્રસંશાપત્ર એનાયત કર્યો છે. વલસાડમાં એસપી કરણરાજે વાધેલાએ ગુનેગારોને કાયદાનું ભાન કરાવીને સીધાદોર કરી દીધા છે. ભલભલા ગુનેગારો આ જાંબાઝ પોલીસ અફસરથી થરથર કાપે છે. ત્યારે તેઓએ ગત વર્ષ 2023માં કાયદો અને વ્યવસ્થાની યોગ્ય કામગીરી કરીને ગુનાખોરીના અંકુશમાં લેતા એસપી કરણરાજને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પ્રસંશાપત્ર એનાયત કર્યો છે.












