મોરબી: મોરબી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ આજે પરિવાર સાથે લાલપર ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગીતા નોંધાવી હતી. મતદાન બાદ અરવિંદભાઈ વાંસદડીયાએ તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે, તેથી વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહી મજબૂત બનાવે. પરિવાર સાથે મતદાન કરી તેમણે નાગરિક ધર્મ નિભાવી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.









