માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર આધેડનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
માળિયા તાલુકાના ભાવપર ગામના રહેવાસી રમેશભાઈ બચુભાઈ ચાવડા (ઉ.વ.૪૭) પાંચેક વર્ષથી માનસિક અસ્થિર હોય અને ગત તા. ૧૪ ના રોજ સાંજના સમયે ભાવપર ગામે રેલ્વે ફાટક નજીક પાટા પર રેલ્વેની ઠોકરે ચડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે માળિયા (મી.) પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે










