વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ ના કોષાધ્યક્ષ-લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિત ના જન્મદીવસ નિમિતે તેમના મિત્રો નિર્મલભાઈ જારીયા (મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી), ભાવીનભાઈ ઘેલાણી (મોરબી મહાનગરપાલીકા કોર્પોરેટરશ્રી), જીજ્ઞેશભાઈ પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહીત ના મિત્રો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી, સેવા કાર્ય માં સહયોગ આપી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નેવિલભાઈ પંડીત, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, જીજ્ઞેશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની,અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ જન્મદીન ની શુભકામનાઓ પાઠવી હતી.












