મોરબીના ઝીંઝુડા ગામે આવેલ ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામીની જગ્યા ખાતે આગામી રવિવાર, તા. 17/05/26 ના રોજ 18 મો પાટોત્સવ યજ્ઞ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત સવારે 9:00 થી 11:30 કલાક સુધી યજ્ઞ યોજાશે, ત્યારબાદ બપોરે 12:00 વાગ્યે મહાઆરતી અને બપોરે 1:00 કલાકે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહંત સરસ્વતી માતાજી અને સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે તમામ ભાવિક ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











