મોરબી : આજના સમયમાં અનેક વડીલોને આશ્રયની જરૂર પડતી હોય છે, ત્યારે મોરબીમાં સામા કાંઠે આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ – રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમ દ્વારા ‘અમારે માવતર જોઈએ છે’ ના ઉમદા ભાવ સાથે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં નિરાધાર તેમજ આધારવાળા વડીલોને વિનામૂલ્યે આવકારવામાં આવી રહ્યા છે.
સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તેવા ગમે તે જ્ઞાતિના વડીલો આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મેળવી શકે છે. અહીં રહેવા માટે વડીલો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને આ સેવા તદ્દન ફ્રી છે. વિશેષમાં, જો વડીલોને સંતાનમાં દીકરા-દીકરી હોય તો પણ તેમને અહીં રાખવામાં આવે છે અને તેમાં કોઈ બાધ રાખવામાં આવ્યો નથી.
જે વડીલો આ વૃદ્ધાશ્રમનો લાભ લેવા માંગતા હોય અથવા જેમના ધ્યાનમાં આવા કોઈ જરૂરિયાતમંદ વડીલો હોય, તેઓએ શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાસે આવેલા વૃદ્ધાશ્રમની રૂબરૂ મુલાકાત લઈ અથવા વૃદ્ધાશ્રમ – મોરબી (91043 03645), ટ્રસ્ટી રાજુભાઈ મહેતા (98242 34311)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા વડીલોને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.











